21 વર્ષનો આ ઘાતક બેટ્સમેન જલ્દી લેશે રોહિત શર્માનું સ્થાન, ટીમ ઇન્ડિયાને મળશે નવો હિટમેન…
ટીમ ઇન્ડિયાનો વરિષ્ઠ ઓપનર રોહિત શર્મા હાલ વિશ્વનો સૌથી બેસ્ટ ઓપનિંગ પ્લેયર છે. તે છેલ્લા ઘણા વર્ષોથી આ ભૂમિકા નિભાવી રહ્યો છે. એ વાતમાં કોઈ શક નથી કે રોહિત શર્મા પોતાના દમ પર મેચની તસવીર બદલી શકે છે. પરંતુ હવે ધીમે ધીમે રોહિત શર્માની ઉંમર વધી રહી છે અને આવનારા કેટલાક વર્ષો બાદ તે ક્રિકેટને અલવિદા કહી શકે છે.
તેવામાં સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે રોહિત શર્માની જગ્યા કોણ લેશે. કારણ કે રોહિત શર્મા એક એવો બેટ્સમેન છે કે જેણે વન-ડે ક્રિકેટમાં ત્રણ વખત બેવડી સદી ફટકારી છે. આ ઉપરાંત ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે.
મહત્વનું છે કે રોહિત શર્મા હાલ 34 વર્ષનો છે અને આ ઉંમર બાદ થોડા વર્ષોમાં મોટાભાગના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેતા હોય છે. તેવામાં આવનારા કેટલાક વર્ષો બાદ રોહિત શર્મા પણ ટીમ ઈન્ડિયાને અલવિદા કહી શકે છે.
રોહિત શર્માની જવાબદારી પૃથ્વી શો સંભાળી શકે છે. પૃથ્વી શોએ બેટથી દર્શાવ્યું છે કે તે પણ રોહિત શર્માની જેમ પાવરફુલ શોર્ટ મારી શકે છે. તે હાલ માત્ર 21 વર્ષનો છે, અને તેને ટીમ ઇન્ડિયાના ભવિષ્ય તરીકે પણ માનવામાં આવી રહ્યો છે. હાલમાં તેની બેટિંગે દરેકનું દિલ જીતી લીધું છે.
પૃથ્વી શોએ ચાલુ આઈપીએલની સિઝનમાં ધમાલ મચાવી દીધો છે. તેણે આ સિઝનમાં શિખર ધવનની સાથે મળીને ખુબ જ આક્રમક બેટિંગ કરી છે. પૃથ્વી શોએ આ વર્ષે 14 મેચમાં 461 રન બનાવ્યા છે. તેણે સેમિફાઇનલ-1માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે માત્ર 27 બોલમાં અડધી સદી ફટકારી હતી.
તમને જણાવી દઈએ કે રોહિત શર્માની ગેરહાજરીમાં પૃથ્વી શો હંમેશા ભારત માટે ઓપનિંગ કરતો નજરે આવે છે. આ વર્ષની શરૂઆતમાં જ પૃથ્વી શોને ખરાબ પ્રદર્શનના કારણે બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં જબરદસ્ત રન બનાવી ટીમમાં વાપસી કરી હતી.
પૃથ્વી શોની આગેવાનીમાં ભારતે અન્ડર-19 વર્લ્ડકપ જીત્યો હતો. અન્ડર-19 વર્લ્ડકપ 2018 માં જ્યારે ભારતે ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ત્યારે તે ટીમનો કેપ્ટન પૃથ્વી શો હતો. શુભમન ગિલ અને શિવમ માવી જેવા ખેલાડીઓ તે સમયે ટીમમાં હતા.