મોહમ્મદ સિરાજ સહિત આ 3 ખેલાડીઓ કાયમી થયા બહાર, હવે એક પણ મેચમાં નહીં મળે સ્થાન…

તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદ ખાતે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ વર્લ્ડ કપની દરેક મેચમાં શાનદાર જીત મેળવી છે પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું છે અને છઠ્ઠો વર્લ્ડ કપ જીત્યો છે. મેચ પૂર્ણ થયા બાદ હાલમાં એક અન્ય મહત્વપૂર્ણ બાબત પણ સામે આવી છે.

રોહિત શર્માએ ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે અલગ અલગ ઘણા ખેલાડીઓને સ્થાન આપ્યું હતું અને કોમ્બિનેશન બનાવ્યું હતું પરંતુ સફળતા મળી નથી. આવા કારણોસર આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને હવે ફરી એક વખત નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે. જેથી મોહમ્મદ શમી સહિત આ ત્રણ ખેલાડીઓ હંમેશા માટે બહાર થશે તેવું સામે આવ્યું છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હવે ટી-20 વર્લ્ડ કપમાં જોવા મળશે નહીં. આ વર્લ્ડ કપમાં તેને સ્થાન મળવાનું નહોતું પરંતુ એશિયા કપમાં બુમરાહના સ્થાને તેને અચાનક સામેલ કરવામાં આવ્યો અને તે સફળ રહ્યો હતો. જેથી તેને બેકઅપ તરીકે સ્થાન મળ્યું હતું પરંતુ હવે ટી-20 વર્લ્ડ કપમાં અર્શદીપ અને ઉમરાન જેવા ખેલાડીઓને સામેલ કરવામાં આવી શકે છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ સિરાજ પણ બહાર થઈ શકે છે. તે પણ વિકેટ અપાવવામાં નિષ્ફળતા બતાવતો જોવા મળ્યો છે. બીજી તરફ તેણે ઘણા રન પણ આપ્યા હતા. જેથી તેના માટે પણ ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ બની શકે છે. આગામી ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં જ તેને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. હાલમાં જ આ અપડેટ આવ્યું છે.

આ બંને ખેલાડીઓ ઉપરાંત સૂર્યકુમાર યાદવ પણ તેની બેટિંગમાં નિષ્ફળતા બતાવતો જોવા મળ્યો છે. જેથી તેને પણ બહાર કરવામાં આવી શકે છે. હાલમાં ભારત પાસે રીન્કુ સિંહ જેવા ઘણા યુવા ખેલાડીઓ મજબૂત ફિનિશર તરીકે ઉભરી આવ્યા છે. જેથી સૂર્યકુમારને પણ બહાર થવું પડી શકે છે. ભારતીય ટીમ ફરી એક વખત સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *