આ ગુજરાતી ખેલાડી ટીમ ઇન્ડિયા માંથી થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન…
ટી-20 વર્લ્ડકપ શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભારતીય ટીમે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે અને ત્રણ ખેલાડીઓને રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ટીમ જાહેર થયા બાદ સતત એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ટીમમાં આઇપીએલના પ્રદર્શનને આધારે ફેરફાર કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, વર્લ્ડકપ માટે પસંદગી પામેલા અમુક ખેલાડીઓનું પ્રદર્શન આઈપીએલ 2021 માં સાવ સાધારણ જોવા મળ્યું હતું. તેના પરથી ક્રિકેટ નિષ્ણાંતો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે ટીમ ઇન્ડિયામાં ટી 20 વર્લ્ડકપ પહેલા ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે.
પરંતુ તેવું કંઈ જ થયું નથી. ટીમ ઇન્ડિયામાં માત્ર એક જ બદલાવ કરવામાં આવ્યો છે. અક્ષર પટેલના સ્થાને સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેને ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
જ્યારે પહેલેથી શામિલ અક્ષય પટેલને હવે રિઝર્વ ખેલાડીઓની લિસ્ટમાં મુકી દેવામાં આવ્યા છે, અને હજુ પણ ટીમમાં ફેરફાર થઈ શકે છે કારણ કે હાર્દિક પંડયાની ફિટનેસને લઈને ઘણી બધી શંકાઓ દેખાઈ રહી છે. તે હજુ પણ સંપૂર્ણપણે ફીટ લાગી રહ્યો નથી, અને આઈપીએલમાં પણ તેણે બોલિંગ કરી ન હતી.
હાર્દિક પંડ્યાના કારણે શાર્દુલ ઠાકુરને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેથી ટીમને વધુ એક ફાસ્ટ બોલિંગનો ઓપ્શન મળી રહે, અને તેને હાર્દિક પંડ્યાના રીપ્લેસમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર , વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રિઝર્વ પ્લેયર તરીકે શ્રેયસ અય્યર, દીપક ચાહર, અક્ષર પટેલની પસંદગી કરવામાં આવે છે.