રોહિત શર્માએ કહ્યું- જાડેજા ભલે પ્લેયર ઓફ ધ મેચ બન્યો પરંતુ આ ખેલાડી છે અસલી ગેમ ચેન્જર…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમે હાલમાં રાજકોટ ખાતે ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમી રહી હતી. આ મેચમાં ભારતીય ટીમે ગઈકાલે 434 રને જીત મેળવી છે. ખૂબ જ મોટા અંતરે જીત મેળવીને ભારતીય ટીમે આ સિરીઝમાં 2-1ની લીડ પ્રાપ્ત કરી છે. આ મેચ ઘણી મહત્વની સાબિત થઈ છે. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ ઘણા મહત્વના નિવેદનો પણ આપ્યા છે.

ત્રીજી મેચની ટૂંકમાં ચર્ચા કરીએ તો ભારત પાસે પ્રથમ દાવ બાદ 126 રનની લીડ હતી. ત્યારબાદ ભારતે બીજા દાવમાં 430 રન બનાવ્યા જેથી ઇંગ્લેન્ડની ટીમને મેચ જીતવા 557 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ મેચમાં જાડેજાએ ટોટલ 7 વિકેટ લીધી હતી અને 112 રન બનાવ્યા હતા. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો પરંતુ મેચ બાદ રોહિતે જાડેજાને નહીં આ ખેલાડીને અસલી ગેમ ચેન્જર ગણાવ્યો છે.

રોહિત શર્માએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જાડેજા ભલે પ્લેયર ઓફ ધ મેચ બન્યો પરંતુ આ ખેલાડી અસલી ગેમ ચેન્જર છે. તેના સારા પ્રદર્શનના કારણે મોટો ફાયદો થયો છે. ત્યાંથી જ ગેમ ચેન્જ થઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમે સતત દબાણ બનાવવાનું શરૂ રાખ્યું હતું અને જબરદસ્ત જીત મળી છે. જેથી તેને જ આ એવોર્ડ મળવો જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ મેચ પૂર્ણ થયા બાદ યશસ્વી જયસ્વાલના ખૂબ વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે જ્યારે મેચ કટોકટીમાં હતી ત્યારે યશસ્વીએ 214 રન બનાવીને ભારતીય ટીમને મોટી લીડ અપાવી હતી. તેની ભાગીદારીના કારણે અન્ય ખેલાડીઓને પણ ફાયદો મળ્યો છે. બીજી તરફ ઇંગ્લેન્ડ પર સતત દબાણ બનવાના કારણે તેઓ ઘણી મુશ્કેલીમાં મુકાયા હતા.

રોહિતે વધુમાં જણાવ્યું કે યશસ્વી ઉપરાંત શુભમન ગીલે પણ 91 રન બનાવ્યા હતા.તે પણ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત સરફરાજ પણ બંને દાવમાં સારી બેટીંગ કરતો જોવા મળ્યો છે. ભારતીય ટીમની બેટિંગ લાઇનના કારણે ફરી એક વખત ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે જબરદસ્ત જીત મળી છે. હવે આગામી મેચ પણ મહત્વની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *