તેને હવે ઘર ભેગો કરવો જોઇએ… (9,5,0,17,0) સતત નિષ્ફળ રહેલ આ ખેલાડીને બહાર કરવાની થઇ માંગ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રાંચી સાથે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચનો ચોથો દિવસ હાલમાં શરૂ થઈ ચૂક્યો છે. ભારતીય ટીમ હાલમાં જીતની ખૂબ જ નજીક હોય તેવું પણ કહી શકાય છે. આ મેચ દરેક ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ભારતીય ટીમ હાલમાં સિરીઝ જીતવાની પણ ખૂબ જ નજીક છે. બીજી તરફ હાલમાં એક અન્ય મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે.

ચોથી મેચની ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ દાવ બાદ ઇંગ્લેન્ડ પાસે 46 રનની લીડ હતી પરંતુ ત્યારબાદ ઇંગ્લેન્ડે બીજા દાવમાં ફક્ત 145 રન બનાવ્યા છે. જેથી ભારતને 192 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ મેચમાં ભારતીય ટીમના ઘણા બેટ્સમેનો શાનદાર બેટિંગ કરતા જોવા મળ્યા છે પરંતુ આ ભારતીય ખેલાડીએ ફરી એક વખત નિષ્ફળતા બતાવી છે અને ઓછા રન બનાવ્યા છે.

તાજેતરમાં ભારતીય તેમનો આ ખેલાડી ખરાબ ફોર્મના કારણે ચર્ચામાં આવ્યો છે. તે હજુ સુધી એક પણ મોટો સ્કોર બનાવી શક્યો નથી. જેથી તેને હવે ઘર ભેગો કરવો જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી તેને ઘણી તકો આપવામાં આવી પરંતુ તે એક પણ મેચમાં કમાલ કરી શક્યો નથી. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન રજત પાટીદારને હવે બહાર કરવાની માંગ થઈ છે. હાલમાં ચોથી મેચના બીજા દાવમાં પણ તે ખાતું ખોલાવી શક્યો નહીં. આ પહેલા 9, 5, 0, 17, 0 જેવા રન બનાવતો જોવા મળ્યો છે. તેના ખરાબ ફોર્મના કારણે અન્ય ખેલાડીઓને પણ નુકસાન થાય છે. ભારતીય ટીમને મિડલ ઓર્ડરમાં ભાગીદારી કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

રજત પાટીદારને હાલમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવાની શાનદાર તક આપવામાં આવી પરંતુ તે તકનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં તે મોટો સ્કોર બનાવી શક્યો નહીં. આવી સ્થિતિમાં હવે તેને એક પણ મેચમાં સ્થાન આપવામાં આવશે નહીં. હાલમાં જ સમગ્ર મામલો સામે આવતા હોબાળો પણ મચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *