કોહલી-શ્રેયસ બહાર, ત્રીજી ટેસ્ટ મેચમાં આવી કંઇક રહેશે પ્લેઇંગ 11, જાણો કોને મળશે સ્થાન…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ બંને મેચો તાજેતરમાં પૂર્ણ થઈ છે. પ્રથમ મેચમાં ભારતને હાર મળી હતી અને બીજી મેચમાં હાલમાં જીત મળી છે. હવે ત્રીજી મેચ રાજકોટ ખાતે રમાવાની છે. આ મેચ શરૂ થાય તે પહેલા હાલમાં કોને સ્થાન મળશે તે અંગે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે.

રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ખેલાડીઓને સ્થાન આપીને ભારતીય ટીમને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યો છે. બીજી તરફ ઘણા ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાના કારણે બહાર પણ થઈ રહ્યા છે. હવે ત્રીજી મેચમાં કોને સ્થાન મળશે તે અંગે હાલમાં જ તેને માહિતી આપી છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર નજર કરીએ અને જાણીએ કે કોને કોને સ્થાન આપવામાં આવી શકે છે અને કોને બહાર કરવામાં આવી શકે છે.

સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો રોહિત શર્મા ફરી એક વખત તેની સાથે ઓપનર પાર્ટનર તરીકે યશસ્વી જયસ્વાલને મેદાને ઉતારશે. હાલમાં જ તેણે બેવડી સદી ફટકારી હતી. તે હાલમાં સંપૂર્ણપણે સેટ થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. જેથી આવનારી મેચોમાં પણ તે જ ઓપનિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. તેણે હાલમાં સદી ફટકારીને પોતાનું ફોર્મ પાછું મેળવ્યું છે.

મધ્યમ ક્રમની વાત કરીએ તો શ્રેયસ ઐયરને હવે બહાર કરવામાં આવ્યો છે જેથી તેના સ્થાને રાહુલ નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. આ ઉપરાંત રજત પાટીદારને ફરી એક વખત નંબર 5 પર સ્થાન આપવામાં આવશે. રવિન્દ્ર જાડેજાની વાપસી થવાની હોવાના કારણે તે નંબર 6 પર અને વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને નંબર 7 પર સ્થાન આપવામાં આવશે.

બોલિંગ લાઈનની વાત કરીએ તો અક્ષર પટેલ અને અશ્વિનને સ્પીન ઓલ રાઉન્ડર તરીકે સ્થાન મળશે. ફાસ્ટ બોલરો તરીકે મોહમ્મદ સિરાજને સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત બુમરાહને પણ સામેલ કરવામાં આવશે. બુમરાહ છેલ્લાં ઘણા સમયથી ટીમ સાથે જોડાયેલો છે. જેથી તેને બ્રેક આપવામાં આવ્યો છે. આવા કારણોસર રોહિત ફરી એક વખત બદલાયેલી ટીમ સાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *