આ ઘાતક ખેલાડી બન્યો અમદાવાદની ટીમનો કેપ્ટન, મળ્યું BCCIનું ગ્રીન સિગ્નલ…

આઇપીએલની 15મી સિઝનમાં અમદાવાદ અને લખનઉ એમ બંને નવી ટીમો મળીને ટોટલ 10 ટીમો ટી 20 લીગમાં ભાગ લેશે. CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે અને આરપી સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે. આઇપીએલ પહેલા મેગા ઓક્શન પણ યોજાવાનું છે. તમામ ટીમોએ પોતાના રીટેન ખેલાડીઓના લિસ્ટ જાહેર કર્યા છે.

આઇપીએલ ફરીથી આ વર્ષે કોરોનાના સંકટમાં આવી શકે તેમ લાગી રહ્યું છે. બીસીસીઆઇએ તાજેતરમાં જ રણજી ટ્રોફીની સાથે અનેક ટુર્નામેન્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. તેવામાં આઇપીએલની પહેલા યોજાનાર મેગા ઓક્શનની તારીખમાં ફેરફાર થઇ શકે છે. કોરોનાના કેસમાં વધારો થતા બીસીસીઆઇ સામે મોટા પડકારો ઊભા થઇ શકે છે.

અમદાવાદની ટીમની માલિકી કંપની CVC કેપિટલ્સ સામે ઘણા સવાલો ઉઠયા હતા. જેના પરિણામે બોર્ડે એક કમિટીની રચના કરી અને યોગ્ય રિપોર્ટમાં જણાવવા કહ્યું હતું. કમિટીએ બે ત્રણ સપ્તાહ પહેલા નિર્ણય સોંપી દેતા CVC કેપિટલ્સને આઇપીએલ ટીમ બનાવવાની અનુમતિ આપી દીધી છે. બીસીસીઆઇએ આ બાબતે સત્તાવાર જાહેરાત કરી શકે છે.

અમદાવાદ અને લખનઉ બંને ટીમોને 31 જાન્યુઆરી પહેલા ત્રણ ખેલાડીઓ જાહેર કરવાની ગાઇડ લાઇન આપી છે. જોકે આ તમામ કોન્ટ્રાક્ટ સાઇન થયા પછી બોર્ડ તેની ઓફિશિયલ જાહેરાત કરશે. અમદાવાદની ટીમના હેડ કોચ તરીકે આશિષ નેહરા અથવા રવિ શાસ્ત્રી બંનેમાંથી કોઇ એક બની શકે છે અને કેપ્ટન તરીકે શ્રેયસ ઐયરની પસંદગી થઇ શકે છે.

શ્રેયસ ઐયરે આ પહેલા દિલ્હી કેપિટલ્સમાં પણ કેપ્ટનશીપ કરી છે. તેને કેપ્ટનશીપ કરવાનો બહોળો અનુભવ છે. આ ખેલાડી ઝડપી નિર્ણય લઇને મેચ પલટો કરી શકે છે. આઇપીએલ 2019માં દિલ્હી કેપિટલ્સને ઐયરે કેપ્ટન તરીકે પ્લેઓફમાં પહોંચાડ્યું હતું અને 2020માં તેની ટીમ રન અપ પણ રહી હતી. આ ખેલાડી આ વર્ષે અમદાવાદની ટીમનો કેપ્ટન બની શકે છે.

આઇપીએલ 2022માં જોડાયેલી નવી ટીમ અમદાવાદ શ્રેયસ ઐયર, ડેવિડ વોર્નર અને હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં પસંદ કરી શકે છે. આ બંને ટીમો ત્રણ-ત્રણ ખેલાડીઓની યાદી બીસીસીઆઇને સોંપશે અને બાકીના ખેલાડીની પસંદગી મેગા ઓક્શનમાં કરશે. આ વર્ષે કોરોનાને કારણે આઇપીએલમાં પણ સંકટ જોવા મળી શકે છે પરંતુ બીસીસીઆઇ પાસે પ્લાન બી પણ તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *