IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવનાર આ બે ઘાતક ખેલાડીઓની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી…

ભારતીય ટીમે તાજેતરમાં આફ્રિકા સામે રમાનારી ટેસ્ટ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો છે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વન-ડે સિરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઇ દ્વારા વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયામાં ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝ માટે તક આપવામાં આવી છે.

આફ્રિકા સામેના પ્રવાસ પહેલા ભારતના યુવા બેટ્સમેન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઇજાને કારણે બહાર ગયા છે. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે. તાજેતરમાં આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

આઇપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટ માંથી દર વર્ષે ઘણા યુવા ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશતા હોય છે. આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે આ બે ઘાતક ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ભારતના યુવા ખેલાડી વેંકટેશ ઐયરને આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી છે. ઐયરે આઇપીએલ 2021માં 10 મેચોમાં 370 રન બનાવી કોલકત્તા નાઇટ રાઇડર્સને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત મધ્યપ્રદેશ તરફથી રમીને વિજય હજારે ટ્રોફીમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.

આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડને પણ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી છે. ઋતુરાજે આઇપીએલ 2021માં 16 મેચોમાં 635 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત વિજય હજારે ટ્રોફીમાં 504 રન બનાવીને સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. તોફાની બેટિંગ કરવામાં આ ખેલાડી વિશ્વભરમાં જાણીતો થયો છે.

વેંકટેશ ઐયર અને ઋતુરાજ ગાયકવાડને આઇપીએલ અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યા બાદ આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં તક આપવામાં આવી છે. હાલમાં બંને ખેલાડીઓ પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ સમય માંથી પસાર થઇ રહ્યા છે. આ બંને ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *