પ્રથમ વનડે મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન, જાણો રોહિત કોને આપશે સ્થાન…
ભારતીય ટીમ 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી હતી. આ સિરીઝ 7 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઇ છે. ભારતીય ટીમે આ સિરીઝમાં 2-1થી ભવ્ય વિજય મેળવ્યો છે. હવે 10 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ઘર આંગણે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાવાની છે. રોહિત, કોહલી અને રાહુલ જેવા તમામ સિનિયર ખેલાડીઓની વાપસી પણ થવાની છે.
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ હવે વનડે વર્લ્ડ કપની તૈયારી કરતી જોવા મળી છે. શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચમાં જ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાને ઉતરવામાં આવશે. રોહિત ઘણા આકરા નિર્ણયો લઇ શકે છે. તો ચાલો આપણે તેની સંભવિત પ્લેઇંગ ઇલેવન પર એક નજર કરીએ એને જાણીએ કે રોહિત પ્રથમ મેચમાં કોને સ્થાન આપી શકે છે.
સૌપ્રથમ ઓપનર બેટ્સમેનોની વાત કરીએ તો રોહિત શર્મા તેની સાથે ઓપનર બેટ્સમેન તરીકે શુભમન ગિલને મેદાને ઉતારશે. રોહિત શર્મા ઘણો વધુ અનુભવ ધરાવે છે અને શુભમન ગિલ હાલમાં સારા ફોર્મમાં જોવા મળ્યો છે. જેથી આ જોડીને મેદાને ઉતારવામાં આવશે. આ ઉપરાંત ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. તે પણ ફોર્મમાં આવવા પ્રયત્ન કરશે.
મધ્યમ ક્રમ તરફ નજર કરીએ તો સૂર્યકુમાર યાદવ નંબર 4 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. હાલમાં ટી-20 ફોર્મેટમાં તેણે ધમાલ મચાવી છે. આ ઉપરાંત શ્રેયસ ઐયર નંબર 5 પર જોવા મળી શકે છે. ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ નંબર 6 પર બેટિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા નંબર 7 પર ઓલ રાઉન્ડર તરીકેની જવાબદારી નિભાવશે.
બોલિંગ લાઇન તરફ નજર કરીએ તો સ્પીન ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદરને નંબર 8 પર સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત સ્પિન બોલિંગની તમામ જવાબદારી યુઝવેન્દ્ર ચહલને સોંપવામાં આવશે. ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહને સ્થાન આપવામાં આવશે. આ તમામ બોલરો ફરી એક વખત ભારતીય ટીમને મોટી જીત અપાવતા જોવા મળી શકે છે.
રોહિત શર્મા આ 11 ખેલાડીઓ સાથે શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં મેદાને જોવા મળી શકે છે. ત્રણ મેચોની આ સિરીઝ 15 જાન્યુઆરી સુધી રમાવાની છે. રોહિત શર્મા શરૂઆતથી જ દબદબો બનાવી રાખવા પ્રયત્ન કરશે. શ્રીલંકા સામેની વનડે સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ આ જ મહિને ન્યૂઝીલેન્ડ સામે વનડે અને ટી-20 સિરીઝ રમવાની છે.