વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં આ બે મોટા બદલાવો સાથે ઉતરશે ભારતીય ટીમ…

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં પ્રથમ વન-ડે મેચ રમવા જઇ રહી છે. આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીએ કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમાશે. ભારતીય ટીમ કોઇપણ હાલતમાં આ બંને સિરીઝ જીતવા પ્રયત્ન કરશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા કેપ્ટનશીપ કરતો નજર આવશે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન રોહિત શર્માની ગેરહાજરીના કારણે ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની વાપસી થતાની સાથે જ ટીમમાં મોટા ફેરફારો કર્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરવું એ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર મોટો પડકાર છે. આ બે મોટા ફેરફારો સાથે ભારતીય ટીમ મેદાને ઉતરી શકે છે.

તમને જણાવી દઇએ કે ભારતીય ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને શિખર ધવન તાજેતરમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કેએલ રાહુલ પણ પ્રથમ વન-ડે મેચ રમી રહ્યો નથી. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની સાથે મયંક અગ્રવાલને ઓપનર તરીકે સ્થાન આપવામાં આવશે. આ એક સફળ ઓપનિંગ જોડી સાથે ભારતીય ટીમે મેદાને ઉતરશે.

ભારતીય મિડલ ઓર્ડરની વાત કરીએ તો શ્રેયસ ઐયર તાજેતરમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વન-ડે મેચમાં નંબર 4 પર શ્રેયસ ઐયરના સ્થાને ઇશાન કિશનનો સમાવેશ કરી શકે છે. ઇશાન કિશન લાંબી ઇનિંગ્સ રમવા માટે પણ જાણીતો છે. આ ખેલાડી ભારતીય મિડલ ઓર્ડરને સારી રીતે સંભાળી શકે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ આ બે મોટા બદલાવ સાથે ભારતીય ટીમ મેદાને ઉતરી શકે છે. સાઉથ આફ્રિકા સામેની કારમી હાર બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાં વિજય મેળવવા પ્રયત્ન કરશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *