પ્રથમ વન-ડેમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, લાંબા સમય બાદ આ ઘાતક ખેલાડીની થશે વાપસી…

તાજેતરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થઈ છે. ભારતને આ ટેસ્ટ સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 19 જાન્યુઆરીથી ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થશે. બીસીસીઆઈ દ્વારા આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય ટીમ આ વનડે સિરીઝ જીતીને હારનો બદલો લેવા ઇચ્છે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ આ મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરીને આફ્રિકાની ટીમનો સફાયો કરશે. ઘણા યુવા ખેલાડીઓને આ સિરીઝમાં તક આપવામાં આવી છે. તો ચાલો જાણીએ કયા ખેલાડીને પ્રથમ વનડે મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે.

ભારતના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની ગેરહાજરીના કારણે રાહુલની સાથે અનુભવી ખેલાડી શિખર ધવન મેદાને ઉતરશે. શિખર ધવનને ઘણા લાંબા સમય પછી ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે. નંબર ત્રણ પર ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઉતરશે તે નિશ્ચિત છે. કોહલીને કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ આ તેની પ્રથમ મેચ રહેશે.

ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ નંબર ચાર પર ઉતરીને શાનદાર પ્રદર્શન કરશે. ત્યારબાદ ઘણા લાંબા સમય બાદ શ્રેયસ ઐયરની વાપસી થશે. તે નંબર પાંચ પર ઉતરીને ભારતીય મિડલ ઓર્ડરને સંભાળશે. ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ડેબ્યુ ટેસ્ટમાં એક સદી અને અડધી સદી ફટકારી હતી.

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત નંબર છ પર ઉતરશે તે નિશ્ચિત છે. ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી વેંકટેશ ઐયરને ઘણા લાંબા સમય પછી ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે. આ ખેલાડી નંબર આઠ પર ઉતરીને ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. ત્યારબાદ સ્પિનરની વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ સ્પિનરની ભૂમિકા ભજવશે.

આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરને સ્થાન આપવામાં આવશે. આફ્રિકા સામેની વનડે સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરીના કારણે કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને જસપ્રીત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *