સ્ટીવ સ્મિથે કહ્યું- ભારતને ભલે હાર મળી પરંતુ આ ગુજરાતી ખેલાડી અમારા માટે બન્યો હતો મુસીબત, એક સમયે કર્યો હતો ગેમ પલટો…

ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ છેલ્લે સુધી રસાકસીની સ્થિતિમાં પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ સ્ટીવ સ્મિથે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

સમગ્ર મેચની ટૂંકમાં વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 50 ઓવરમાં 240 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો અને જબરદસ્ત જીત પણ મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના ઘણા બેટ્સમેનો શાનદાર બેટિંગ કરતા જોવા મળ્યા હતા છતાં પણ મેચ પૂર્ણ થયા બાદ સ્ટીવ સ્મિથે આ ગુજરાતી ખેલાડીના ખૂબ જ વખાણ કર્યા હતા.

સ્ટીવ સ્મિથે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી અમારા માટે કાળ બન્યો હોય તેવું કહી શકાય છે. તેની બોલિંગ સામે રમવું ખરેખર મુશ્કેલ હતું. બીજી તરફ તે દરેક બોલ વિકેટ અનુસાર ફેંકતા જોવા મળ્યો હતો. જેથી દરેક બોલમાં મુશ્કેલી થઈ રહી હતી. તેના કારણે ઘણી વિકેટ પણ ગુમાવવી પડી હતી. તો ચાલો આપણે જાણીએ કે આ બંને ખેલાડીઓ કોણ કોણ છે.

તમને જણાવી દઈએ કે સ્ટીવ સ્મિથે સૌપ્રથમ જસપ્રીત બુમરાહની બોલિંગ વિશે ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું છે કે બુમરાહે શરૂઆતમાં જ આવીને ઘણી કડક બોલિંગ કરી હતી. જેથી શરૂઆતમાં અમે પીચ પર ટકી રહેવાનું વિચાર્યું હતું. તેનો દરેક બોલ અમારા માટે કાળ બની રહ્યો હતો. તે બંને બાજુ બોલ લહેરાવવાની આવડત ધરાવતો હતો. જેથી તેની સામે ટકી રહેવું પણ મુશ્કેલ હતું.

આ ઉપરાંત સ્ટીવ સ્મિથે રવિન્દ્ર જાડેજાની બોલિંગ વિશે પણ ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજા પણ સ્પીન બોલીંગનો માસ્ટર છે. તે પણ સૌથી વધારે સ્વિંગ કરાવી શકે છે. જેના કારણે ઘણી મુશ્કેલીઓ થાય છે. અમે જીત મેળવી પરંતુ આ ખેલાડીઓ અમારા માટે આજે કાળ સાબિત થયા હતા. ભારતીય ટીમ ઘણી મજબૂત જોવા મળી પરંતુ તેઓને હાર મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *