હાર બાદ ફાટી નીકળ્યો રોહિતનો ગુસ્સો, આ 2 ખેલાડીઓને કાયમી માટે બહાર કરવાની કરી જાહેરાત…
ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 6 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ છેલ્લે સુધી રસાકસીની સ્થિતિમાં પણ જોવા મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ એક મહત્વનું નિવેદન આપ્યું છે.
સમગ્ર મેચની ટૂંકમાં વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 50 ઓવરમાં 240 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો અને જબરદસ્ત જીત પણ મેળવી હતી. આ મેચમાં રોહિતે શરૂઆતમાં આવીને 31 બોલમાં 47 રન બનાવ્યા હતા પરંતુ બીજી તરફ ઘણા ખેલાડીઓ ખરાબ રમત બતાવતા જોવા મળ્યા હતા. મેચ બાદ તેણે ઘણા નિવેદનો આપ્યા છે.
રોહિતે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે ભારતને આજે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં આ બે ભારતીય ખેલાડીઓ પાસે ઘણી આશા હતી પરંતુ તેઓ સફળ રહ્યા નથી. તેઓને ખરાબ બેટિંગના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો છે. જેથી હવે તેઓને સ્થાન મેળવવું પણ મુશ્કેલ થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ખેલાડીઓ કોણ કોણ છે.
તમને જણાવી દઈએ કે સૌપ્રથમ ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકૂમાર યાદવ હવે બહાર થઈ શકે છે. ફાઇનલ જેવી મહત્વની મેચમાં પણ તે 28 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો છે. છેલ્લે તેના પર ઘણી આશા હતી પરંતુ તે ફિનિશર તરીકે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો છે. આ વર્લ્ડ કપની ઘણી મેચોમાં તેને તક મળી પરંતુ તે ક્યારેય હાર્દિકની જેમ શાનદાર બેટિંગ કરી શક્યો નથી.
બીજી તરફ મોહમ્મદ સિરાજ પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. આ ઉપરાંત ખૂબ જ વધારે રન આપતો જોવા મળ્યો હતો. આજે તેણે એક જ વિકેટ લીધી હતી. આ વર્લ્ડ કપમાં તે ખૂબ જ વધારે રન આપી રહ્યો હતો. ફાઇનલમાં જરૂરિયાત સમયે વિકેટ મળી નહીં અને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત મળી છે. ભારતીય ટીમ ફરી એક વખત મહત્વની મેચોમાં નિષ્ફળતા બતાવતી જોવા મળી છે.