વર્લ્ડકપમાં રોહિત સાથે કોહલી કે રાહુલ નહીં પરંતુ આ ખેલાડી કરશે ઓપનિંગ…

આઇપીએલ 2021 ના બીજા તબક્કાનું આયોજન યુએઈ ખાતે કરવામાં આવ્યું છે. જે 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ તરત જ 17 ઓક્ટોબરથી આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2021 શરૂ થવા જઇ રહ્યો છે. જેને લઇને દરેક દેશે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. બીસીસીઆઇએ પણ વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે બીસીસીઆઈએ ટીમમાં યુવા ખેલાડીઓને વધારે સ્થાન આપ્યું છે. સ્પીન એટેકની વાત કરીએ તો વરુણ ચક્રવર્તી અને રાહુલ ચાહર જેવા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે તો બીજી તરફ બેટિંગમાં પણ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ટી-20 વર્લ્ડકપમાં પસંદગી પામેલા ખેલાડીઓમાં ઘણા બધા ખેલાડીઓ આઇપીએલ ફ્રેન્ચાઇઝ મુંબઇ ઇન્ડિયન્સ માટે રમે છે. જેમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન અને રાહુલ ચાહરનો સમાવેશ થાય છે.

મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમનાર ઈશાન કિશન આઇપીએલ 2021 ના બીજા તબક્કામાં કંઈ ખાસ ફોર્મમાં ચાલી રહ્યો ન હતો. પરંતુ આરસીબી સામેની મેચ બાદ વિરાટ કોહલી તેને પ્રોત્સાહિત કર્યો હતો જે બાદ તે ઘાતક અંદાજમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો.

આરસીબી સામેની મેચ બાદ મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ઈશાન કિશનને 25 બોલમાં 50 રન બનાવી પોતાનું ફોર્મ મેળવ્યું હતું. ત્યારબાદ લીગ સ્તેજની છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે તેણે 36 બોલમાં 84 રનની ઘાતક ઇનિંગ રમી હતી.

ઈશાન કિશનનું ફોર્મમાં આવવું ટીમ ઇન્ડિયા માટે સારી નિશાની કહી શકાય કારણ કે આઈપીએલની સમાપ્તિ બાદ તરત જ ટી-20 વર્લ્ડકપ શરૂ થવા જઇ રહ્યો છે. ઈશાન કિશનના આ ખતરનાક ફોર્મને જોતા લાગી રહ્યું છે કે તે ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા તરફથી ઓપનિંગ કરતો નજરે આવી શકે છે.

ઓપનિંગ કરવાને લઈને ઈશાન કિશને કહ્યું કે, તેને ઓપનિંગ કરવી ખુબ જ પસંદ છે અને તે જ કોહલી ભાઇએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેને ઓપનર તરીકે જ ટી-20 વર્લ્ડકપમાં પસંદ કરવામાં આવ્યો છે અને તેને તેના માટે તૈયાર રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *