શ્રીલંકાના 3 ખેલાડીઓ 1 વર્ષ માટે થયા સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી જશો…

શ્રીલંકાએ હાલમાં જ ભારત સામેની ત્રણ મેચની ટી-20 સીરીઝ જીતી લીધી છે. મળતી માહિતી મુજબ, ત્યારબાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ત્રણ ખેલાડીઓ પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ત્રણ ખેલાડીઓ એક વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શકશે નહીં.

આ ઉપરાંત, આ ખેલાડીઓ પર 25,000 ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ત્રણેય ખેલાડીઓ જૂનમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચ પહેલા ડરહમમાં કોવિડ સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા બાયો-બબલને તોડીને બહાર ફરતા નજરે આવ્યા હતા.

કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને ધનુષ્કા ગુણતીલકા ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચ પહેલા ડરહમમાં બાયો-બબલ તોડીને બહાર ફરતા નજરે આવ્યા હતા. ત્યારબાદ આ ત્રણેય ક્રિકેટરો પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા અને ગુનાતિલકા બાયો-બબલ તોડવા માટે દોષિત સાબિત થયા હતા. ત્રણેય ખેલાડીઓ બાયો-બબલ તોડીને ડરહામની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. આ ત્રણેય ખેલાડીઓનો વિડીયો એક ચાહકે બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયો જોયા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને તેના વિશે ખબર પડી હતી.

જુઓ વીડિયો :-

ત્રણેય ખેલાડીઓ બાયો-બબલ તોડીને ડરહામની શેરીઓમાં ફરતા જડપાયા…

ત્યાર બાદ ત્રણેય ખેલાડીઓને તાત્કાલિક ઇંગ્લેન્ડથી શ્રીલંકા પાછા બોલાવવામાં આવ્યા હતા. ભારત સામેની વન-ડે અને ટી-20 સીરીઝ માંથી પણ બાકાત રાખવામાં આવ્યા હતા. હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ત્રણેય ખેલાડીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય ખેલાડીઓને એક વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધા છે.

આ ત્રણેય ખેલાડીઓ પર પ્રતિબંધ લાગતા હવે તે ટી -20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયા હતા. કુસલ મેન્ડિસ, ડિકવેલા અને ગુણાતીલકા વગર શ્રીલંકાની ટીમે ભારત સામે ટી -20 સીરીઝ જીતી હતી. તેઓએ છેલ્લી ટી -20 મેચ 7 વિકેટથી જીતીને સીરીઝ 2-1થી જીતી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *