પાક ધોવાઇ જશે, આ 10 જિલ્લામાં 20+ ઇંચ પડશે વરસાદ, અંબાલાલ પટેલે કરી છાતી ધ્રુજાવે તેવી આગાહી…
સંકટના સમાચાર એ છે કે, ગુજરાતમાં હવે વાવાઝોડાની અસરને પગલે કમોસમી વરસાદ બગાડશે. જેને કારણે દિવાળીનો તહેવાર બગડવાની સો ટકા શક્યતા છે. આ વચ્ચે આજથી જ મોસમમાં તાંડવ જોવા મળશે. સંકટના સમાચાર એ છે કે, ગુજરાતમાં હવે વાવાઝોડાની અસરને પગલે કમોસમી વરસાદ બગાડશે. જેને કારણે દિવાળીનો તહેવાર બગડવાની સો ટકા શક્યતા છે. આ વચ્ચે આજથી જ મોસમમાં તાંડવ જોવા મળશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી 27 થી 28 ઓક્ટોબર પશ્ચિમિ વિક્ષેપ આવશે. પશ્ચિમી વિક્ષેપ ઉત્તરીય પર્વતિય પ્રદેશમાં સામાન્ય વરસાદ તથા બરફ વર્ષા કરશે. દાના વાવાઝોડાની અસરથી મુંબઈ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ આવી શકે છે. 17 અને 18 નવેમ્બર ગુજરાતમાં પશ્ચિમિ વિક્ષેપના કારણે ઠંડી વધશે. ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે.
ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. પરંતું હવામાનમાં એવા પલટા આવી રહ્યાં છે કે હવે કમોસમી વરસાદનો દોર શરૂ થયો છે. શિયાળાના આગમન વચ્ચે જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે. ત્યારે નવરાત્રિ બાદ આગામી દિવાળીનો પણ તહેવાર બગડવાનો છે તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા પલટાને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે.