ગામના પાદરે બોર્ડ મારી દેજો, એકસાથે 5 ઇંચ પડશે વરસાદ, અંબાલાલ પટેલે ધબકારા વધારે તેવી કરી આગાહી…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરી છે અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. સાથે જ તેમણે નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડું આવવાની આગાહી કરી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થઈ શકે

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં હવામાનમાં ફેરફાર આવશે અને વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. જોકે હાલ વરસાદી વાતાવરણ છવાયું નથી.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે. સાથે જ વાવાઝોડાની આગાહી અંગે તેમણે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં 12 ઓક્ટોબર સુધીમાં હલચલ થશે અને 14 થી 19/20 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. આ વાવાઝોડું ગંભીર વાવાઝોડું બનવાની પણ શક્યતા છે.

વાવાઝોડાની દિશા અંગે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે, એ તો ત્યારે જ ખબર પડશે, પરંતુ જેટ ધારાના કારણે આ સિસ્ટમ ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની સંભાવના છે. સાથે જ જે વિસ્તારોમાં વરસાદની જરૂર છે, એવા ભાગો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો થવાની શક્યતા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *